માનવ સંબંધો
By Swami Sachchidanand
- Release Date: 2005-09-03
- Genre: Hinduism
Description
સ્વામી સચ્ચિદાનંદ, એક કર્મયોગી સંત, સનાતન ધર્મ અને વિજ્ઞાનના પ્રખર ચિંતક અને પ્રચારક છે. સ્વામીજી એક સમાજ સુધારક, માનવતાવાદી, તત્વજ્ઞાની, માનવ કલ્યાણવાદી જેવા કાર્યમાં નિરંતર જોડાયેલા છે. તેઓ કોઈ "પંથ" અથવા "સંપ્રદાય"ના ભાગ નથી। તેઓ મનુષ્યની ખામીઓનું વિશ્લેષણ કરી અને તેમાંથી કેવી રીતે સમાજ અને માનવતાનો વિકાસ કરાય તેવો ધ્યેય રાખે છે. સમાજને જાદુ, જંતર, મંતર, અંધવિશ્વાસ, માન્યતા અને ચમત્કાર વગેરેથી દુર રાખવા માટે સતત પ્રયન્ત્શીલ રહેલા છે.
પ્રસ્તુત પુસ્તકનું મૂળ તો "નાર-નારિના સંબંધો"વાળા પુસ્તકમાં રહેલું છે. તેમાં મારે જુદા-જુદા સંબંધોની ચર્ચા કરાવી હતી પણ પ્રભુએ એક જ સંબંધ ઉપર કલમ ચલાવી. જેથી નાર-નારીના સંબંધોની તો થોડીક ચર્ચા થઇ શકી પણ બીજા સંબંધોની ચર્ચા રહી ગઈ. સમયાંતરે બીજા સંબંધોની પણ ચર્ચા કરવાની પ્રેરણા થઇ અને આ પુસ્તક લખી શકાયું.