પૂર્વમાં નવું પશ્ચિમ
By Swami Sachchidanand
- Release Date: 2004-03-07
- Genre: Hinduism
Description
સ્વામી સચ્ચિદાનંદ, એક કર્મયોગી સંત, સનાતન ધર્મ અને વિજ્ઞાનના પ્રખર ચિંતક અને પ્રચારક છે. સ્વામીજી એક સમાજ સુધારક, માનવતાવાદી, તત્વજ્ઞાની, માનવ કલ્યાણવાદી જેવા કાર્યમાં નિરંતર જોડાયેલા છે. તેઓ કોઈ "પંથ" અથવા "સંપ્રદાય"ના ભાગ નથી. તેઓ મનુષ્યની ખામીઓનું વિશ્લેષણ કરી અને તેમાંથી કેવી રીતે સમાજ અને માનવતાનો વિકાસ કરાય તેવો ધ્યેય રાખે છે. સમાજને જાદુ, જંતર, મંતર, અંધવિશ્વાસ, માન્યતા અને ચમત્કાર વગેરેથી દુર રાખવા માટે સતત કાર્યરત રહેલા છે.
પ્રવાસમાં મારો દૃષ્ટિકોણ મારા ભારત દેશને પણ આવો સુખી-સમૃદ્ધ અને સુરક્ષિત કેમ બનાવવો તે રહ્યો છે. આપણે ક્યાં ભૂલો કરીએ છીએ અને આપણે હવે શું કરવું જોઈએ તે અભિગમ મુખ્ય રહ્યો છે. આ દેશો સુખી-સમૃદ્ધ કેવી રીતે બન્યા અને આપણે તેવા કેમ ના બન્યા તે પણ જોવા-જાણવા-સમજવાનો પ્રયત્ન થતો રહ્યો છે. એટલે પ્રસ્તુત પુસ્તકને માત્ર કોઈ પ્રવાસવર્ણનનું પુસ્તક ન માની લે. પ્રવાસવર્ણનની સાથે તેમાં ચિંતન પણ છે. ખરું કહું તો પ્રવાસ તો નિમિત્ત છે. પ્રવાસના માધ્યમથી તેમાં મેં મારું ચિંતન-વિચારો-દર્શન-દૃષ્ટિકોણ જ વધુ મૂક્યાં છે. શક્ય છે કે તે કોઈને ગમે, કોઈને ના પણ ગમે, પણ મેં મારી શક્ય તેટલી તટસ્થતાથી આ વિચારો રાખ્યા છે. માત્ર હું જ નહિ, પણ સાથેનાં બધાં પ્રવાસીઓ આ દેશોથી પ્રભાવિત થયાં જ હતાં. ખાસ કરીને અપરાધોની એકદમ ન્યૂનતા ખૂબ જ પ્રભાવિત કરનારી વસ્તુ હતી. નર-નારીઓનું ઉત્તમ આરોગ્ય, સ્ફૂર્તિ, તેજસ્વિતા અને મિલનસાર વૃત્તિ આ બધું પ્રભાવકારી હતું જ. સ્વચ્છતાના પાઠ તો જેટલા ભણાય તેટલા થોડા. જ્યાં ચોખ્ખાં ટોઇલેટ જ ટોઇલેટ.